SA491: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
SA491
 
(No difference)

Latest revision as of 22:17, 10 May 2024

આનંદ કરો રે બધાં આ સુપ્રસંગે,

લગ્ન પવિત્ર વિધિ,તેને ઇશ્વરે કીધી,
વધે નીતિ ને પ્રીતિ આ રીતિ થકી.

બંને મુકિત પમેલાં હોવાં જોઇએ,

પ્રીતે સંપી રહેનારાં,પાળી ધર્મના ધારા,
થઇ પ્રભુનાં પ્યારાં દેવનો કૃપાથી.

ઘરમાં સુચાલ ચાલીને શુભ નમૂનો દે,

પ્રાર્થના કરે એકાંતે, શાસ્ત્ર વાંચી નિરાંતે,
તજી મનમાંની ભ્રાંતિ વિશ્વાસ રાખીને.

જેવી ખ્રિસ્ત મંડળીને તેવી પ્રીત કરે,

ઇશ્વરને માથે રાખીને,ખરી સાક્ષી આપીને,
ખ્રિસ્ત કાજ દુ:ખો સાંખીને સુભકિત કરવી.