SA414

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA414)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નાશ પામતાને બચાવ મરતાંને સંભાળ

પાપને મોતથી તેમને સત્વરે ઉગાર;
આપ હાથ પડેલને,કર રૂદન ભૂલેલ માટ,
ખ્રિસ્ત સમર્થ તારનારની,તેમને કહે વાત.

ટેક:નાશ પામતાંને બચાવ,મરતાંને સંભાળ,

ઇસુ કરશે તારણ,ઇસુ દયાળ!

જો કે તેઓ તેનો કરે છે તુચ્છકાર;

પણ પસ્તાવિકનો,તે કરે સ્વીકાર;
સમજાવ તેમને ખંતથી, સમજાવ ધીરેથી,
તે કરશે માફ ફકત વિશ્વાસ કરવાથી.

નાશ પામતાંને બચાવ,છે તુજ ફરજ તે,

તારા કામમાં પ્રભુ બળ દેનાર છે;
સાખંડા માર્ગ પર તેમને લાવ ધીરજથી આજ,
ભૂલેલને કે’ ત્રાતા મૂઓ તુજ કાજ.