SA84

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
પરમેશ્વર બોલે છે, આવો રે !

સઘળાં પાપથી ફરો, ને કરો પસ્તાવો,
મુકિત માર્ગમાં ચાલો, આવો રે !

તમે જે ઘરડાં છો, આવો રે !

મરણ જલ્દી આવશે, આજ મુકિતનો દિન છે,
પ્રભુ દયા કરશે, આવો રે !

તમે જે છો જુવાન, આવો રે !

પામો મુકિતનું દાન, આપો ઇસુને માન,
સિપાઈઓ થાવ બળવાન, આવો રે !

બારણું છે ઉઘાડું આવો રે !

પણ બંધ થશે જયારે, રે શું કરશો ત્યારે?
અફસોસ થશે તમને, આવો રે !