SA362

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ગામ સાલેમની માઓ, ઇસુ પાસ બાળો લાવી,

શિષ્યોએ તેમને કાઢયાં, ને મના કીધી;
પણ ખ્રિસ્તે તેમને જોઇને કૃપાથી એવું કહ્યું કે,
“આવવા દેજો બાળકોને, મારી પાસે.”

“હું બાળોને લઇને, મારે ખોળે બેસાડું,

હું બાળકોનો પાળક છું, મને છે વહાલાં બહુ,
જો તેઓ મને સોંપે મન, તો મજ સાથ રે’શે સ્વર્ગે’ પણ,
"આવવા દેજો બાળકોને, મારી પાસે.”

પ્રેમ કેટલો ઇસુનો કે, બાળોને બોલાવે,

પણ લાખો હજી રહ્યા છે, તેના વિષે અજાણ,
તેઓ એવું જાણતાં, નથી કે, ખ્રિસ્તે કહ્યું છે કદી,
“આવાવા દેજો બાળકોને, મારી પાસે.”