SA295

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
પ્રભુ પોતે જેના પક્ષમાં, વૈરીથી શું થાશે રે ?

પથ્થર ફેંકે પાપીઓ તો, ફૂલ થઇ વેરાશે રે.

શાદ્રાખ, મેશાખ, અબેદનેગો, અગ્રિમાં હોમાયા રે;

સાતઘણી ભઠ્ઠી સળગાવી, તેમાં કેમ કઢાશે રે ?

ગોલ્યાથ સરખો મહાબળિયો તો, આપ બળે શું લડશે રે ?

શિરછેદન તો દાઉદે કીધું, માંસ પક્ષીએ ખાધું રે.

આનંદે આવો ને ધૂન મચાવો, મુકિત ગીતો ગાઇને; રે?

દાઉદ સરખા નાચી ઊઠયા, ધન્ય કહો આ ભકિતને.

લાખો માણસ પાપથી ફરે, વહેલા બચી જાશે રે;

ભરત ખંડમાં ભારે મહિમા, ઇસુનો દેખાશે રે.