SA202

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
અમો આવીયાં આજ સૌ ખ્રિસ્ત નામે,અમો આવિયાં તો ઇસુને વિરામે;

અમે સેવ ત્રાતા તણી આજ કીધી અને દેવ દાતા તણી વાત લીધી.

અમારાં બધાં પાપ તો માન્ય કીધાં,અને ખ્રિસ્ત દેવે બધાં ભૂંસી દીધાં

સદા શુદ્ધ આત્મા હવે ખ્રિસ્ત,દેજો, અને દર્દ સંધાં ઇસુ ખ્રિસ્ત, લેજો.

અમો જીવિયે ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો દઇ શુદ્ધ બુદ્ધિ,

પછી મોતનું તેડું તો જ્યારે આવે,અમોને તમો પાસ તે ત્યારે લાવે.

અમો તો તમોથી ખરું સુખ લેશું, અને સર્વકાળે તમો પાસ રહીશું

તમો છો અમારા ખરા પાળનારા, તમોને મૂકીને અમો ના જનારા.