226
૨૨૬ - દીવારૂપ વચન
| હરિગીત છંદ | |
| (ગીતશાસ્ત્ર ૧૧૯-૧૦૫) | |
| કર્તા: | સુરેન્દ્ર આસ્થાવાદી |
| ૧ | વચનો પ્રભુનાં શાસ્ત્રમાં જે જે લખેલાં છે બધાં; |
| પૂરાં થયાં છે ને થવાનાં, ના થશે મિથ્યા કદા. | |
| આશાભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ફળે; | |
| બેચેન દિલડાંની બીમારી એ જ વચનોથી ટલે. | |
| ૨ | અંધારપંથે દીવડી એ જ્યોતથી ઝગમગ થતી; |
| કાળાશ કે તિમિરનું ત્યાં અલ્પબિંદુયે નથી; | |
| મુજ ચરણ કાજે સર્વદા ઝગતાં રહી જ્યોતિ ધરે; | |
| શુભ વચન દૈવી સર્વથા જલતાં રહી ચોકી કરે. | |
| ૩ | જે જે સ્થળે છે એ વચન ત્યાં ત્યાં કનિષ્ઠો ના રહે; |
| જે જે હ્રદયમાં એ વચન ત્યાં ત્યાં અનિષ્ટો ના રહે. | |
| જીવન તણું સુકાન એ આગાહે દે ભય સ્થાનની, | |
| સ્વર્ગી કનાને દોરીને શાંતિ આપે પ્રભુ-ધામની. |