SA211

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA211)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રાગ : જે વિશ્વાસ રાખે ઇસુ પર
સ્થિર થા મન મારા, યુદ્વમાં, ને એકજ મારી ચિંતા થાય,

જેઓ નાશમાં છે,જનારા,કે તેઓ જલ્દી બચી જાય;
ને ઇસુ ખ્રિસ્તની ગમ ફરે, કે તેઓને તે માફ કરે.

આતુરતાથી કરીશ લડાઇ, ને શી ફીકર જો આવે દુઃખ !

જે લોક નરકથી બચી જાય, તો ભરપૂર થશે મારું સુખ,
જીવ જાય તો નહિ કરુ દરકાર,પણ મરવા માટે થાંઉ તૈયાર.

જે હોય મારી કને સોંપુ, આગળ ચલાવવા તારું કામ,

ને તારે વાસ્તે લડીશ હું, તારા પર ધરી મારી હામ,
ત્રાતા શરણ પાપી લાવું, જેણે તેમને કાજ મોત સહયુ.