166: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૧૬૬ - કેવળ ખ્રિસ્તથી શુદ્ધતા== {| |+૧૬૬ - કેવળ ખ્રિસ્તથી શુદ્ધતા |- | |માદ..." |
(No difference)
|
Revision as of 11:52, 31 July 2013
૧૬૬ - કેવળ ખ્રિસ્તથી શુદ્ધતા
| માદરી | ||
| કર્તા: | થોમાભાઈ પાથાભાઈ | |
| ૧ | ખ્રિસ્ત જીવતો ઝરો, | |
| પાપથી અશુદ્ધ જે બધાંય સ્નાન ત્યાં કરો; | ||
| ખ્રિસ્ત તીર્થ છે ખરો, તે વડે તમે તરો; | ||
| એ જ તીર્થ જો કરો, કદી ન પાપમાં મરો. | ||
| ૨ | પાપ જો ઘણાં હશે, | |
| શ્વેત ઉન પેઠે ખ્રિસ્ત તીર્થ સ્નાનથી થશે; | ||
| ખ્રિસ્ત રાજમાં જશે, શુદ્ધ લોકમાં વસે; | ||
| જે રહે અશુદ્ધ તે કદી ન સ્વર્ગમાં જશે. | ||
| ૩ | દેવમાં પવિત્રતા, | |
| લેશભાર દેવમાં મળે ન કંઈ અશુદ્ધતા; | ||
| દૂત ત્યાં ઘણાં બધા, તેહમાં પવિત્રતા, | ||
| ખ્રિસ્ત રાજમાં પવિત્ર લોકનો મિલાપ ત્યાં. |