137: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૧૩૭ - સ્વગૅરોહણ== {| |+૧૩૭ - સ્વગૅરોહણ |- |૧ |ત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી, ..." |
(No difference)
|
Revision as of 11:33, 29 July 2013
૧૩૭ - સ્વગૅરોહણ
| ૧ | ત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી, અમૃતની જ્યોત પ્રદીપ્ત કરી! |
| દીધાં સહુ શિષ્યને દર્શન ને, આદેશ દીધો ચઢતાં ગગને! | |
| ૨ | આકાશમાં ને વળી આ ભુવને, સર્વ અધિકાર અપાય મને, |
| સૌ દેશમાં શિષ્ય કરો જઈને, સાથે,જુઓ, હું રહું સર્વ દિને. | |
| ૩ | જુઓ તમે વાટ શાલેમ મહીં, આત્મા તણું દાન મળે જ સહી, |
| સામથ્ર્ય મહા સહુ પામી જશો, ને સર્વ સ્થળે મુજ સાક્ષી થશો. | |
| ૪ | એવું કહીને પ્રભુ આશિષ દે, વિદાય લેતાં પ્રભુ સ્વર્ગ ચઢે ! |
| અદશ્ય થયો પ્રભુ આભ મહીં! હર્ષે ગયા શિષ્ય શાલેમ મહીં. | |
| ૫ | મેઘો મહીં રે ! પ્રભુ ખ્રિસ્ત ગયો, સર્વોપરી સ્વર્ગનો ભૂપ થયો; |
| મેઘો મહીં આવશે એ જ પ્રભુ, ન્યાયાધિકારી બની ન્યાયી વિભુ. |