76: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૭૬ - દયામય સ્વામી== {| |+૭૬ - દયામય સ્વામી |- |છંદ : |ચોપાયા |- |રાગ પદ : |ધનાશ્..." |
(No difference)
|
Revision as of 13:29, 27 July 2013
૭૬ - દયામય સ્વામી
| છંદ : | ચોપાયા |
| રાગ પદ : | ધનાશ્રી કે ભીમપલાસ |
| (મિશ્ર તાલ : | કેહરવા) |
| કર્તા : | કા. મા. રત્નગ્રાહી |
| ૧ | સ્વરનું સુખ તેં મૂકી દીધું, માનવ દુ:ખ નિહાળી; |
| નભથી ભૂ લગ નીચો થઈને, છેક થયો તું ખાલી. | |
| ટેક : | જય જય ખ્રિસ્ત દયામય સ્વામી. |
| ૨ | તું ધનવાન છતાં નિરધન થઈ આવ્યો આ જગમાંહી; |
| સ્વર્ગભુવનનો રાજકુંવર તે, દીનપણાને ગ્રાહી. જય. | |
| ૩ | માતા મરિયમ પેટે જન્મી માનવદેહ તેં ધારી; |
| નમ્ર ગભાણે પોઢી, વ્હાલા, કોમળ, કોમળ કાયા તારી. જય. | |
| ૪ | આ જગ માંહે વાસ કરીને જનહિત કાર્યો કીધાં; |
| અંધા, પંગા, ચંગા કીધા, અંગ પરિશ્રમ લીધા. જય. | |
| ૫ | પ્રેમ દયાથી નિશદિન વરતી શુભ ઉપદેશ જ દીધો; |
| તોપણ જગતે અંધ બનીને નાથે ન માની લીધો. જય. | |
| ૬ | મુજ પાપે બહુ પીડિત કીધો, વીંધ્યાં અંગો તારાં; |
| ગાઉં નિરંતર તુજ ગુણ-ગીતો, પરમ પ્રિય પ્રભુ મારા. જય. |