ટેક - સત રસ્તાનું વર્ણન કરું સન્માર્ગ દેખાડું જી;

ઇશ્વરની ભકિત શી રીતે થાય, રે મનકેમ સુધારુંજી.

કેવળ જ્ઞાનથી થાય અભિમાન, ને મન ઘણું ફૂલેજી.

સાચા મતનો કરું અંગીકાર, તોય પાપી મન ભૂલેજી.

નથી રે ક્રિયા નથી રે રીતિ, નથી રે સંસ્કારજી.

ભજન કરૂં કે શાસ્ત્ર ભણું, કેવળ ઉપરનોજ આચારજી.

નહિ મનની કલ્પના, નહિ મનનોજુસ્સો, નહિ મનનાવિચારજી.

હર્ષ થાએ કે રડવું આવે, તોય મનડામાં અંધકારજી.

પ્રકાશને ચાહવો, ઇશ્વરને માનવો, ખ્રિસ્ત પરનો વિશ્વાસજી.

પ્રીત થકી એ ત્રણ વાત કરો, જેથી નાસી જાય નિશ્વાસજી.