મનનું બદલાણ જેમને મળ્યું છે,

તેઓ સિપાઇઓમાં દાખલ કરાશે.

સાફ મન પામીને તેઓ અર્પણ થઇ,

સગાં વહાલાંને ખ્રિસ્તની ગમ લાવશે.

તેઓ પાપીના સંગથી જુદા રહી,

કેફી વસ્તુઓથી વેગળા નાસશે.

તેઓ સંસારી ભપકાથી કંટાળશે,

સમજી સૈન્યવેશ પહેરવો માન છે.

કરકસર કરીને ફોજને સહાય કરશે,

તેથી ઇસુનું રાજ્ય ફેલાશે.

તેઓ નિત્ય પોતાનો નકાર કરશે,

અને બીજાનો બોજ માથે રાખશે.

તેઓ સાચા તથા ન્યાયી થઇ રહેશે,

ભલું કરવામાં બહું હરખાશે.

થઇ પ઼ેમી શાંત અને ધીરજવાન,

તેઓ નમ઼ને દાતાર જણાશે.

તેઓ લાંચને કોઇ દિન લેશે નહિ,

કદી પાપની કમાઇ નહિ ખાશે.

૧૦ તેઓ દરરોજ દેવની વાત વાંચશે,

ખરી પ્રાર્થના કરી વિશ્વાસે.