287

Revision as of 00:58, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૮૭ - પ્રભુ પિતા ઉપર ભરોસો == {| |+૨૮૭ - પ્રભુ પિતા ઉપર ભરોસો |- | |સુલીય છં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૮૭ - પ્રભુ પિતા ઉપર ભરોસો

૨૮૭ - પ્રભુ પિતા ઉપર ભરોસો
સુલીય છંદ
કર્તા: જે. વી. એસ. ટેલર.
પિતા તણે પરાક્રમે પ્રસંગ સર્વ છે ઠરેલ;
રહીશ માટ જીવતો પિતા થકી સદા ધરેલ.
કદી વિપત્તિ જો પડે, થશે કદા અનર્થ નાશ,
ન થાય બીક તે થકી, ન ઉરમાં થશે નિરાશ..
વિનંતી નિત્ય આ કરું, ધરી સદાય નમ્ર ભાવ,
થનાર સર્વ વાતમાં નિરાંત તું પિતા, કરાવ;
વિના વિલંભ શીખતાં ઠરાવના ખરા જ ભેદ,
સદાય સિદ્ધ હું રહું, ધરી પિતા તણો નિષેધ.
ફરી કરીશ પ્રાર્થના, પડી પિતા તણે સુપાય;
વિનંતી નમ્ર ભાવની તજેલ તો કદી ન થાય;
દયાળુ તું પિતા, મને સુશકિત રોજ કાજ આપ,
બધાંય કામકાજમાં રહે સદા અમીપ, બાપ.
દિને દિને દયા કરી, નિભાવતાં મને ચલાવ,
મને સદા સુધારતાં, સુભક્ત સેવના કરાવ;
અધર્મને દબાવતાં ખરી કરી સમસ્ત ચાલ,
પવિત્રતા કરાવતાં સુખી કરાવ સર્વકાળ.