SA210

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
જે વિશ્વાસ રાખે ઇસુ પર તે સઘળું કરી શકનાર છે,

પ્રભુ ઇસુ સંદેહ વગર વિશ્વાસ મારો તારા પર છે,
હું જાણું છું વિશ્વાસ વડે સૌ કંઇ મારાથી થઇ શકે.

મારાથી પાપ વિના રહેવાય ઇસુ પર વિશ્વાસ રાખવાથી,

આ સૌથી અશકય દેખાય તો પણ થશે કૃપા થકી,
જે ઇસુ હોય સર્વ શકિતમાન તો પામી શકું છું આ દાન.

મારામાં ઇચ્છા દેવની થાય ત્યારે તેના જેવો થઇશ,

ને વિચાર વાતને કામની માંય નહિ કરું પાપ પણ શુદ્વ રહિશ,
ને સાક્ષી પૂરું સૌ ઠેકાણે કે ઇસુ છે સર્વ શકિતમાન.