SA402: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(SA402)
 
(No difference)

Latest revision as of 11:16, 11 May 2024

ઇશ્વરનું કામ તો માર્મિક છે, કરે છે ચમત્કાર,

સમુદ્ર પર પગ મૂકે તે, આંધી પર થાએ સ્વાર.

તેના વિચાર સાગરનો માંય, મધ્યે તેનું ઊંડાણ,

તે ઉત્તમ યોજના કરતો જાય, તેનો ઇચ્છા પ્રમાણ.

ઓ ભયભીત સંતો બળવાન થાવ, જે મેઘથી થાય અંધકાર,

તે વરસો ભરાવશે તળાવ, ને કરશે ખેત ફળદાર.

ન કરો,પ્રભુ દેવનો ન્યાય, તમો અલ્પ બુદ્ધિથી.

સંતાડે આશિષ દુઃખો માંય, કે લાભ દે પ્રીતિથી,

તેના ઠરાવ પ્રમાણે નિત,વાત બનતી જાએ છે.

અંકુર તો કડવો હોય ખચીત, પણ સુંદર ફૂલ થાય છે.

વિશ્વાસ વિનાના ભૂલે છેજ, તે સમજી ન શકે,

ખુલાસો ખ્રિસ્ત કરે પોતેજ,લોક ચાહે તેમ બોલે.